Home > Know Jainism > 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ
Jainonline.org
• 9-Jun-2025
27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ
6

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
વિહાર ગામના મનોહર શિખરબદ્ધ જિનાલયમાં શ્વેત પાષાણના શ્રી નાગફણા પાર્શ્વનાથ પદ્માસને બિરાજે છે. સાત મનોહર ફણાથી શોભતાં આ પ્રતિમાજીની ફણા સહિત ઊંચાઈ ૧૫ ઈંચ છે. અને પહોળાઈ ૧૧ ઈંચ છે. પરમાત્માનું નયન રમ્ય બિંબ અત્યંત આહ્ લાદક છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
શ્રી નાગફણા પાર્શ્વનાથનું તીર્થ વિહારગામ પૂર્વે બીજા નામથી ઓળખાતું જૂનું ગામ પડી ભાંગતાં તે જ સ્થળે નવું ગામ વસ્યું. આ નવું વસેલુ ગામ વિહારના નામથી ઓળખાય છે.
નાગરાજે શ્રી પાર્શ્વ પ્રભુને પોતાની ફણાનું છત્ર ઘરેલું હોવાથી શ્રી પાર્શ્વપ્રભુનું નાગફણા નામ પ્રસિદ્ધિ પામ્યું અનેક પ્રાચીન રચનાઓમાં ‘નાગફણા' નામનો નિર્દેશ જોવા મળે છે.
શ્રી નાગફણા પાર્શ્વનાથનાં આ પ્રતિમાજી સંવત ૧૮૭૩ની સાલના હોવાનું કહેવાય છે. આ દેરાસર સં. ૧૯૮૬ની સાલમાં શ્રી સંઘે બંધાવીને પરમાત્માને ગાદી નશીન કર્યા મહા સુદ-૫નો પ્રતિષ્ઠા દિન શ્રી સંઘ પ્રતિવર્ષ ઊજવે છે.
પ્રાચીનતાના પુરાવા—
સં. ૧૬૫૫ના આસો સુ. ૧૦ના દિને રચાયેલી શ્રી પ્રેમ વિજય કૃત ‘૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા" માં આ નામની પણ ગૂંથણી કરવામાં આવી છે.
સંવત ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજ્ય ગણિવરના શિષ્યે રચેલા " શ્રી ભટેવા પાર્શ્વનાથના સ્તવન'માં પાર્શ્વ પ્રભુના આ નામનો પણ ઉલ્લેખ થયેલો છે.
સંવત ૧૮૮૧ના હાવ રના દિને કવિ ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વ પ્રભુનાં ૧૦૮ નામના છંદ'માં પણ આ નામનો નિર્દેશ જોવા મળે છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી નાગફણા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ વીજાપુર તાલુકાના વિહાર ગામમાં આવેલું છે. તે ઉપરાંત અરવલ્લી પર્વતની ગોદમાં શ્રી નાગફણા પાર્શ્વનાથનું બીજું તીર્થ પણ આવેલું છે. તદુપરાંત શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયમાં, શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ૨૭મી દેરીમાં અને શ્રી જીરાવલા તીર્થની ભમતીની સાડત્રીસમી દેરીમાં પણ આ પાર્શ્વપ્રભુનાં પ્રતિમાજી બિરાજમાન છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
મહેસાણાના જિલ્લાના વીજાપુર તાલુકાનું વિહાર ગામ વીજાપુર મહેસાણા રોડ પર આવેલું છે. ગામની કુલ વસ્તી ૪ હજાર છે. ગામમાં એક ઉપાશ્રય પણ છે.