logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ

Jainonline.org

• 10-Jun-2025


28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ

69



પ્રથમ નજરે પ્રતિમા દર્શન—

 

વિસનગરમાં કડા દરવાજા પાસે આવેલા ત્રણ માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજી કલાત્મક પરિકરમાં સાત ફણાઓથી અલંકૃત છે. ૧૯ ઈંચ ઊંચા અને ૧૫ ઈંચ પહોળા આ પ્રતિમાજી પદ્માસને બિરાજે છે.

 

અતીતના ઊંડાણમાં એક ડૂબકી—

 

અજમેરના રાજા વિશળદેવ ચૌહાણે બીજા રજપૂત રાજાઓના સહકારથી મુસલમાનોને ભારતમાંથી હાંકી કાઢવા ઝુંબેશ ઉપાડી. તેની આ ઝુંબેશમાં ભીમદેવે તેને સહયોગ ન આપ્યો. તેથી છંછેડાએલા વિશળદેવે ગુજરાત પર ચઢાઈ કરી ભીમદેવને હરાવ્યો.

 

પોતાના વિજયના સ્થાન પર વિશલદેવે વિ. સં. ૧૦૮૦ આસપાસમાં પોતાના નામ પરથી ‘વિસલનગર' શહેર વસાવ્યું .તે જ શહેર આજે વિસનગર તરીકે ઓળખાય છે.

 

બારમાં સૈકામાં મહેસાજી ચાવડાએ વસાવેલા મહેસાણા નગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પૂર્વે બિરાજતા હતા. શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું એ જિનાલય વિક્રમના ચૌદમા-પંદરમાં સૈકામાં મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યુ સુરક્ષા કાજે મૂળનાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથની પ્રતિમાને કૂવામાં ભંડારી દીધાં હોય તેવું અનુમાન થાય છે.

 

ત્યારબાદ આ પ્રતિમાજી મહેસાણાના કોડિ કૂવામાંથી પ્રગટ થયાં. તે પ્રતિમાને વિસનગરમાં લાવીને પધરાવવામાં આવ્યાં.

 

વર્તમાનમાં આ પ્રતિમાજી ત્રણ માળના એક ભવ્ય જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજે છે. આ જિનાલયના બીજા માળે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને ત્રીજે માળે શ્રી ગોડી પાર્શ્વનાથ મૂળનાયક છે. જિનાલયની ભમતીમાં ચોવીસ તીર્થંકરોના ગોખલા છે.

 

આ ભવ્ય જિનાલયના નિર્માણમાં વિસનગરના રહીશ શ્રાવક શેઠ ગલાચંદનો તન-મન ધનનો અમૂલ્ય ભોગ સ્મરણીય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩ના ફાગણ સુદ ૩ને બુધવારે થઈ હતી. આ પ્રતિષ્ઠા દિનને શ્રી સંઘ પ્રતિવર્ષ ઊજવે છે.

 

વિસનગરમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથના મુખ્ય જિનાલય ઉપરાંત બીજા પાંચ જિનાલયો છે. જેમાં સુમતિનાથ શાંતિનાથ. અનંતનાથ આદિનાથ અને શાંતિનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજે છે. ‘કલ્યાણ' નામની ભીતરમાં પડેલો કોઈ સ્પષ્ટ ઈતિહાસ જાણવા મલ્યો નથી. પણ જીવ માત્રના અનંત કલ્યાણને સાધી આપનારા પરમાત્માનું આ નામ ગુણનિષ્પન્ન છે.

 

પેટલાદમાં આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથના જિનાલયમાં પંન્યાસ પદ્મ વિજયજી તથા રૂપવિજયજી મહારાજે કેટલીક વિદ્યાની સાધના કરી હતી.

 

વિસનગરથી બીજુ સ્ટેશન વડનગર છે. આ વડનગરને પ્રાચીન ગ્રન્થોમાં આણંદપુરના નામથી ઓળખાવવામાં આવેલું છે. સંઘ સમક્ષ પ્રથમ કલ્પસૂત્ર અત્રે વંચાયેલ. ભરત મહારાજાના સમયમાં શત્રુંજયની તળેટી આણંદપુર સુધી લંબાયેલી હતી.

 

પ્રાચીનતાના પુરાવા—

 

પંદરમી સદીમાં મેઘકવિએ રચેલી ‘તીર્થમાલા”માં વિસનગરને ધર્મના સ્થાન તરીકે ઓળખાવવામાં આવ્યું છે.

 

સં. ૧૬૫૬ના આસો વદ ૯ને મંગળવારે કવિવર નયસુંદરે “૧૦૮ નામ ગર્ભિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ” રચ્યો છે તેમાં તેમણે વિસનગરના પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી છે.

 

સં. ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં વિસનગર પાર્શ્વનાથને પણ નમસ્કાર કરવામાં આવ્યો છે.

 

સં. ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને મુનિ ગુણવિજયના શિષ્યે “શ્રી ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"ની રચના કરી છે. તેમાં તેમણે વિસનગરના પાર્શ્વનાથને વંદન કર્યા છે.

 

સં. ૧૭૪૬માં શીલવિજયજીએ રચેલા “તીર્થમાલા” સ્તવનમાં પણ વિસનગરની જિન પ્રતિમાઓને વંદના કરવામાં આવી છે.

 

સં. ૧૭૫૫ના જેઠ સુદ ૧૦ના દિને કવિવર જ્ઞાનવિમલે “તીર્થમાલા” સ્તવન રચ્યું છે. તેમાં તેમણે વિસનગરની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે.

 

સં. ૧૮૮૧ના ફાગણ વદ રના દિને પં. ઉત્તમવિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ’'માં કલ્યાણ પાર્શ્વનાથનો પણ નામોલ્લેખ થયેલો છે. પ્રભુનાં ધામ અનેક—

 

શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં ભવ્ય જિનાલયો ઠેર ઠેર આવેલા છે. પેટલાદની લીંબડી શેરીમાં વડોદરાની મામાની પોળમાં ભરૂચની શ્રીમાળી પોળમાં સૂરતના વડાચૌટામાં, પાલનપુર પારેખ-વાસમાં, રાધનપુરના દેસાઈ વાસમાં વીજાપુર તાલુકાના આગલોડ ગામમાં સૌરાષ્ટ્રના કોંઢ ગામમાં પોરબંદર અને ભાવનગરમાં. મુંબઈમાં મુલુન્ડ અને ચોપાટી પર તથા મહારાષ્ટ્રના પાંચોરા ગામમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં જિનાલયો આવેલાં છે. તે ઉપરાંત બીજાં પણ અનેક જિનાલયોમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજે છે. જીરાવલા તીર્થના જિનાલયની બીજી દેરીમાં શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની વીસમી દેરીમાં અને શાંતાક્રુઝ (મુંબઈ)ના કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનાં પ્રતિમાજી રહેલાં છે.

 

ચોપાટી ઉપર આવેલ મંદિરમાં વિ.સં. ૧૬૨૭ પો. સુ. ૧૫ ગુરુવારના પ્રતિષ્ઠિત થયેલ શ્રી કલ્યાણ પાર્શ્વનાથના ચમત્કારી પ્રતિમા છે. સંઘ તેના ચમત્કારો અનુભવી જીવનમાં ધર્મ આરાધના વધારે છે.

 

પ્રભુનાં ઘામની પિછાણ—

 

વિસનગર મહેસાણા જિલ્લાનું એક તાલુકાનું ગામ છે. ગામનાં છ જિનાલયો. ઉપાશ્રય જ્ઞાનભંડાર, પાઠશાળા અને આયંબિલ ખાતુ જૈનોની અપૂર્વ ધર્મનિષ્ઠાનાં સાક્ષી છે. યાત્રિકો માટે ધર્મશાળા અને ભોજન શાળાની સુંદર સગવડ છે. જૈનોનાં ૪૦૦ ઘર અહીં છે અને પ્રતિવર્ષ સાધુ સાધ્વીજી ભગવંતોના પ્રાય: ચાતુર્માસ થાય છે.

 

બસ તથા રેલવે માર્ગે વિસનગર ઉત્તર ગુજરાતના અનેક મોટાં શહેરો સાથે જોડાયેલું છે. વાલમ, તારંગા, મહુડી, વીજાપુર આદિ તીર્થો નિકટમાં આવેલાં છે.

Tags: Shree 108 Parshvanath, 108 Parshwanath, 23rd tirthankar, parasnath, Jainism history, 108 Parshwanath history, Jain story

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • Shri Aaryarakshit Suri...
  • 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
Anger Rectified
Anger Rectified
Anger Rectified
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A