logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ

Jainonline.org

• 11-Jun-2025


29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ

53



પ્રથમ નજરે પ્રતિમા દર્શન—

 

મહેસાણામાં શ્રી સુમતિનાથ પ્રભુના ભવ્ય શિખરબંધી જિનાલયમાં સંપ્રતિકાલીન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુ પદ્માસને બિરાજે છે . શ્વેત પાષાણનાં આ મનોહર પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ઈંચ અને પહોળાઈ ૨૨ ૧/૪ ઈંચ છે. પ્રભુજીના મસ્તકે ફણા નથી.

 

અતીતના ઊંડાણમાં એક ડૂબકી—

 

મહેસાજી ચાવડાએ વિક્રમના બારમા-તેરમાં સૈકામાં મહેસાણા વસાવ્યું હતું. શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં એક પ્રાચીન ગૃહસ્થ-મૂર્તિ ઉપર સં ૧૨૫૭નો લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ મંદિર બંધાવનાર શ્રેષ્ઠીનો હોવાનું અનુમાન છે. તે ઉપરથી મહેસાણા ગામ તેરમા સૈકાથી પ્રાચીન હોવાની પ્રતીતિ થાય છે.

 

જામનગરમાં શેઠ રાયશી વર્ધમાનના મી શાંતિનાથ ભગવાનના જિનાલયની એક ધાતુમૂર્તિ મહેસાણાના રહીશ શ્રેષ્ઠીએ સં. ૧૪૯૯માં ભરાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખ પણ મહેસાણા નગરની પ્રાચીનતાનો એક પ્રબળ પુરાવો છે.

 

પહેલા મહેસાણામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું જિનાલય વિધમાન હતું. ચૌદમા-પંદરમા સૈકામાં આ જિનાલય મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યું આક્રમણથી તે મૂર્તિનું રક્ષણ કરવામાં આવ્યું અને હાલમાં તે પ્રતિમાજી વિસનગરમાં બિરાજમાન છે.

 

ચૌદમાં સૈકા સુધી તો મહેસાણામાં મહેસાજીના વંશજોનું જ શાસન હતું સમય જતાં અધિકારી વંશજો વચ્ચે ભાગલા પડયા. ચાવડાનું રાજ્ય વહેંચાઈને નાનું થયું

 

વર્તમાનમાં વિદ્યમાન તમામ જૈન તથા હિંદુ મંદિરો ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં છે.

 

સંવત ૧૬૬૧ના અષાઢ વદ-૧૨ના દિવસે ૫ કમલવિજયજી મહેસાણામાં કાળધર્મ પામ્યા હતા. તે જ સાલમાં તેમના શિષ્ય હેમવિજયગણિએ મહેસાણામાં જ “કમલ વિજ્ય રાસ” રચ્યો હતો.

 

આ પાર્શ્વનાથ ભગવંતના ‘મનોરંજન' નામની પાછળ એક કિંવદન્તી છે. મહેસાજીનો રાજ્ય વૈભવ અખૂટ હતો. પણ આ રાજ્ય ગાદીનો કોઈ વારસ ન હોવાથી તેમનું મન સદા નારાજગી અનુભવતું વિહાર કરતા કોઈ જૈનાચાર્ય મહેસાણા પધાર્યા. એ આચાર્ય ભગવંતની મહાનતાને પિછાણનારા કોઈ ગૃહસ્થે મહેસાજીને તેમની મુલાકાત કરાવી આપી. મહેસાજીએ ઊંડી આશા સાથે પોતાની પુત્રપ્રાપ્તિની ઝંખના આચાર્ય ભગવંત પાસે વ્યકત કરી.

 

દીર્ધદૈષ્ટિથી લાભાલાભને નિહાળનારા આ આચાર્ય ભગવંતે ઇહલૌકિક અને પારલૌકિક સર્વ ઈષ્ટની સિદ્ધિ કરી આપનારા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધનાનો મહિમા સમજાવ્યો. મહેસાજીએ શુદ્ધ ભૂમિમાં બેસીને શ્રીપાર્શ્વપ્રભુની પ્રતિમા સામે વિધિપૂર્વક આરાધન કર્યુ. તે આરાધનાના પ્રભાવે મહેસાજીની નારાજગી ટળી ગઈ. પુત્રપ્રાપ્તિની ઝંખના પૂર્ણ થઈ. અને પુત્ર દર્શનથી તેમના મનનું રંજન થયું અને રાજાના મુખમાંથી “મનોરંજન પાર્શ્વનાથ” એવું નામ સરી પડયું.

 

શ્રી મનોરંજન પાર્શ્વનાથનાં આ પ્રતિમાજી એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં બિરાજમાન છે. પૂર્વે મનોરંજન પાર્શ્વનાથ તથા સુમતિનાથનાં જુદાં જુદાં બે જિન મંદિરો હતાં. આ બન્ને ભેગા કરી ત્યાં હાલ મોટું દેરાસર બાંધેલું છે.

 

નૂતન જિનાલયમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા સં. ૧૯૨૦ ના મહા સુદ ૧૦ને બુધવારના દિને થયેલી છે.

 

મહેસાણા તીર્થ તાજેતરમાં અત્યંત ખ્યાતિને પામેલું છે. વિ.સં. ૨૦૨૮માં ગામની બહાર શ્રી સીમંધર સ્વામીના નૂતન અને ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થતાં આ તીર્થની ખ્યાતિ વધી છે. શ્રી સીમંધર સ્વામીનું વિરાટકાય મનોહર બિંબ દર્શનીય છે. મહામહિમ શ્રી સીમંધરસ્વામીના આ તીર્થની સ્થાપના સ્વ. પૂ. આ શ્રી કૈલાસ-સાગર સૂ. મહારાજ હસ્તક થઈ છે.

 

પ્રાચીનતાના પુરાવા—

 

પંદરમી સદીમાં મેઘ કવિએ રચેલી તીર્થમાલામાં મહેસાણા તીર્થનો પણ ઉલ્લેખ છે.

 

સંવત્ ૧૬૫૬માં કવિ નયસુંદરે ‘‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ” રચ્યો છે. તેમાં મહેસાણાના પાર્શ્વનાથને પણ તેમણે સ્તવ્યા છે.

 

સંવત્ ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં મહેસાણાના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે.

 

સંવત્ ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને મુનિ ગુણવિજ્યના શિષ્યે રચેલા “શ્રી ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન’'માં મહેસાણાના પાર્શ્વનાથને અતિ મહિમાવાન ગણવામાં આવ્યા છે.

 

સંવત્ ૧૭૪૬માં કવિ શીલવિજયજીએ રચેલી ‘તીર્થમાલા’’માં મહેસાણાનાં જિનાલયોનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

 

અઢારમી સદીમાં કલ્યાણસાગરે રચેલી “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી”માં મહેસાણાના પાર્શ્વનાથના મહિમાની સ્તવના કરવામાં આવી છે.

 

અઢારમી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત” “શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ મહેસાણા પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.

 

પ્રભુનાં ઘામ અનેક—

 

પ્રેક્ષકના મનનું રંજન કરનાર શ્રી મનોરંજક પ્રતિમાજી મહેસાણામાં શ્રી સુમતિનાથ જિનાલયમાં બિરાજે છે. મનોરંજન પાર્શ્વનાથનાં પ્રતિમાજી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ચોથી દેરીમાં પણ છે.

 

પ્રભુનાં ઘામની પિછાણ—

 

ઉત્તર ગુજરાતનું મહેસાણા શહેર એ જિલ્લાનું મુખ્ય મથક છે.

 

હાલના તબકકે ભારતભરમાં એક માત્ર વિશાળકાય શ્રી સીમંઘર સ્વામીનું જિનાલય થતાં આ શહેર તીર્થ તરીકે અત્યંત ખ્યાતિને પામ્યું છે. ગામમાં કુલ ૧૫ જિનાલયો. ઉપાશ્રયો. પાઠશાળા શાન ભંડાર, આદિ વિદ્યમાન છે. અહીંની શ્રી યશોવિજય સંસ્કૃત પાઠશાળાનો જૈન શિક્ષણના પ્રચારમાં મહત્ત્વનો ફાળો છે. યાં સીમંધર સ્વામી જિનાલયના પટાંગણમાં વિશાળ ધર્મશાળાઓ અને ભોજનશાળા આદિની સુંદર સગવડ છે. ગામમાં જૈનોના ૩૦૦ ઘર છે. પ્રતિવર્ષ સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થાય છે. મહેસાણા જિલ્લામાં શંખેશ્વર, મુંજપુર. પાટણ ચારૂપ કંબોઈ રાંતેજ, ચાણસ્મા, શંખલપુર, આદિ અનેક તીર્થસ્થાનો આવેલા છે.

 

મહેસાણા જંકશન રેલવે સ્ટેશન છે. તેમજ જમીન રસ્તે પણ રાષ્ટ્રના અનેક ભાગો સાથે સંકળાયેલું છે.

Tags: Shree 108 Parshvanath, 108 Parshwanath, 23rd tirthankar, parasnath, Jainism history, 108 Parshwanath history, Jain story

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • Shri Aaryarakshit Suri...
  • 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
Anger Rectified
Anger Rectified
Anger Rectified
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A