logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > Shri Sinh Anagar

Jainonline.org

• 16-Jun-2025


Shri Sinh Anagar

119


Your browser does not support the audio element.

શ્રી સિંહ અણગાર 

મહાવીર પ્રભુના એક દ્રઢ અનુરાગી શિષ્ય - સિંહ અણગાર. એકાંત નિર્જન અરણ્યમાં એક ઘટાદાર વટ વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં બે પુરુષો ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેની વાત કરી રહ્યા હતા. એક પુરુષ કહેતો હતો - ગોશાળાએ તેજોલેશ્યા ભગવાન ઉપર મૂકી ત્યારે ત્યાં હતા તે સમર્થ શિષ્યો કેમ ગોશાળાને રોકી ન શક્યા ? બીજાએ જવાબ આપ્યો કે ભગવાનની આજ્ઞા હતી "બધાએ ગોશાળાથી અળગા રહેવું" છતાં તેજોલેશ્યા મૂકી તે સમયે પરમાત્મા ઉપર પરમ પ્રીતિવાળા બે અણગાર સુનક્ષત્ર તથા સર્વાનુભૂતિ ઝાલ્યા ન રહ્યા અને ગોશાળાને અટકાવવા વચ્ચે કૂદી પડ્યા પણ ગોશાળાએ છોડેલી તેજોલેશ્યાથી બન્ને જીવતા સળગી મોતને ભેટ્યા. 

અરરર....ઘોર હત્યા.... 

એ પાપી દિવસે આ બન્ને પુરુષો શ્રીવસ્તિ નગરીમાં હતા કે જ્યારે મિથ્યાદ્વેષી ગોશાળાએ મહાવીર પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી હતી, પણ તેજોલેશ્યા પરમાત્માના દેહમાં પ્રવેશ કરવા સમર્થ ન હતી. ભગવાનને પ્રદક્ષિણા દઈને સીધી જ ગોશાળાના દેહમાં વ્યાપી ગઈ. પણ આ તેજોલેશ્યાની ગરમીથી ભગવાનના અંગેઅંગમાં બળતરા થતી હતી. ભગવાનની રૂપ સંપત્તિ સહેજ ઝંખવાઈ ગઈ હતી. બધા ભક્તગણ આ આફતથી બેબાકળા બની ગયા હતા. 

આ વાર્તાલાપ સિંહ અણગાર કે જે વટવૃક્ષની પાછળ ધ્યાન ધરતા હતા તે સાંભળે છે. તેમને આ ભયંકર વાતની ખબર ન હતી. પણ આ વાત સાંભળી તેમના હૈયામાં અપાર વેદના જાગી. તેમની કલ્પનાશક્તિથી પરમાત્માના રોગગ્રસ્ત દેહને જોયો. તે કંપી ઊઠ્યા!! મારા નાથ ! તમારા દેહમાં આટલી બધી પીડા ? સિંહ અણગારની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી.

થોડી વાર પછી બીજા બે વટેમાર્ગુઓ એ જ વટવૃક્ષ નીચે આવી બેઠા. બેમાંથી એક વૃદ્ધ અને એક બાળક હતા. બન્ને કદાચ પિતા-પુત્ર હોય.બાળક વૃદ્ધને પૂછતો હતો, હેં બાપુજી! ભગવાન ઉપર પેલા ગોશાળાએ તેજોલેશ્યા મૂકી. એ તેજોલેશ્યાથી શું થાય ? વૃદ્ધ કહે છે કે, "જો આ તેજોલેશ્યા બીજા કોઈ ઉપર મૂકી હોય તો તરત બળીને મૃત્યુ પામે - પણ આ તો તીર્થંકર એટલે મૃત્યુ ન થયું પરંતુ..” આટલું કહેતાં તે વૃદ્ધની છાતી ભરાઈ ગઈ. વધુ ન બોલી શક્યા. એટલે બાળકે કહ્યું, "કેમ બાપુજી" અટકી ગયા ? પછી શું થયું.?" "બેટા.. ભગવાનને લોહીના ઝાડા થયા કરે છે." આમ કહેતાં તો એ વૃદ્ધ એક ડૂસકું ખાઈને મોટા અવાજે રડી પડ્યો. બાજુમાં જ ઊભેલા સિંહ અણગાર દોડી આવ્યા. આ વાર્તા સાંભળી તેમના હૈયે કારમી વેદના ઊઠી આવી અને આંસું નીતરતી આંખે પૂછે છે : ભાઈ, પછી શું થયું ? ભગવાનનું નિર્મળ ચંદ્રમા જેવું મોટું તેજોલેશ્યાના તાપથી શ્યામ થઈ ગયું. આખા શરીરે ભગવાનને વેદના છે. આ તાપથી પ્રભુ છ માસથી વધુ નહીં જીવી શકે. વૃદ્ધ વધુ બોલી શક્તો નથી. 

સિંહ અણગારની વેદના વધતી ગઈ. કેવી રીતે પ્રભુ આ સહન કરતા હશે ? વધુ ને વધુ શોકના સાગરમાં તેઓ ડૂબતા ગયા. એક ખૂણામાં બેસી કરુણ સ્વરે રુદન કરવા માંડ્યું. ધ્રુસકે ધ્રુસકે રોયા. 

આ વખતે બધા જ રડતા હતા - ગૌતમ સ્વામીથી માંડી પ્રત્યેક સાધુની આંખો આંસુથી છલકાઈ. ચંદનબાળા અને બીજાં સ્ત્રી-પુરુષો- દેવ અને દાનવો પણ શોકની છાયામાં ઘેરાયાં હતાં. પણ સિંહ અણગાર તો એવું રડ્યા કે છાના જ ન રહે. 

ભગવાન મહાવીર શ્રીવસ્તિથી વિહાર કરી મિંઢિક ગામ પધાર્યા ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સિંહ અણગારના અપાર આક્રંદમાં તરફડતા જીવને જોઈ લીધો. તરત ભગવાને ગૌતમ સ્વામીને બોલાવી સિંહ અણગારને અહીં બોલાવી લાવવા આજ્ઞા કરી અને થોડા વખતમાં જ બે અણગારોએ સિંહ અણગારને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત કર્યા.

ભગવાનનો પીડાતો દેહ નજરે પડતાં જ તેમની વેદના વધી પડી. તેઓ નીચે બેસી ગયા. કંઠ રૂંધાઈ ગયો. આંખો સૂઝી ગઈ હતી. સિંહ !!! મધુર વાણીથી ભગવાને અણગારને નજીક બોલાવ્યા. શા માટે સંતાપ કરે છે ? પ્રભુ આપને આટલી બધી પીડા. ધ્રુસકે રડતાં રડતાં બોલ્યા. પ્રભુ બોલ્યા, સિંહ!! તેં લોકોને મોંઢે સાંભળ્યું ને કે મારું છ મહિને મૃત્યુ થશે ? 

હા પ્રભુ.

પણ તેવું બની શકે ખરું ? તીર્થંકરો હંમેશાં તેમનું આયુષ્ય પૂર્ણ કરીને જ નિર્વાણ પામે. તેમના આયુષ્યને કોઈ ઘટાડી ન શકે, કોઈ વધારી ન શકે. પણ પ્રભુ ! અણગાર રોતાં રોતાં કરગર્યા, સકળ સંઘ આપની આ સ્થિતિ જોતાં વ્યથા અનુભવી રહ્યો છે. પ્રભુ આપના માટે નહીં પણ મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરો. આપની આ પીડા જોવા હું પળ વાર પણ સમર્થ નથી. 

સિંહમુનિના આવા આગ્રહથી પ્રભુ બોલ્યા, આ ગામમાં રેવતી નામે એક શ્રાવિકાએ મારા માટે કોળાનો કટાહ પકાવ્યો છે. તે તું ન લેતો, પણ પોતાના ઘર માટે તેણે બીજોરાનો કટાહ પકાવ્યો છે તે લઈ આવ. તારા આગ્રહથી એ કટાહ હું દવા તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને ધૈર્ય પ્રાપ્ત થાય. સિંહ અણગાર નાચી ઊઠ્યા. તેમના અંગે અંગે હર્ષનો રોમાંચ થયો. 

રેવતીનું ઠેકાણુ શોધી સિંહ અણગાર તેના આંગણે આવ્યા. વિનયપૂર્વક રેવતીએ વંદના કરી હાથ જોડીને પૂછ્યું, કહો ભગવાન પધારવાનું કારણ ? હે શ્રાવિકા, તેં ભગવાન માટે જે ઔષધ બનાવ્યું છે તે નહિ પણ જે તેં તારા માટે ઔષધ બનાવ્યું છે તેની અમોને જરૂર છે. રેવતી આશ્ચર્ય સહ બોલી, હે ભગવાન! કોણ આવા દિવ્ય જ્ઞાની છે જે આવી ગુપ્ત વાતને જાણી ગયા છે ! સર્વજ્ઞ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે રેવતી ! 

રેવતીએ આનંદપૂર્વક એ ઔષધ સિંહ અણગારને વહોરાવ્યું. અને જેવું પાત્રમાં ઔષધ પડ્યું કે દેવોએ મહાદાનમ્ મહાદાનમ્ નો દિવ્યધ્વનિ કર્યો.

સિંહ અણગાર ત્વરિત ગતિએ ભગવાનની પાસે આવી ભગવાનને તે ઔષધનો આહાર કરાવ્યો અને અલ્પકાળમાં ભગવાનનો દેહ રોગથી મુક્ત બની ગયો. ચતુર્વિધ સંઘે આનંદ ઉત્સવ કર્યો, પણ સિંહ અણગારની આંખમાં હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી અને મુખ ભગવાનની સામે મલકી રહ્યું હતું.

શ્રી સિંહ અણગાર સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર  ક્લિક કરો. ⬇️

https://docs.google.com/forms/d/e/1FAIpQLSccV5Imtvi2eRdGeug6-LJ37Fs372GwgemAl62azfSKownulg/viewform?usp=header

બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️

http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati

Tags: Summer quiz, Children story, vacation special, jain mahapurush, vajraswami,Sinh Angaar katha, Jain sadhu story, jain katha

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • Shri Aaryarakshit Suri...
  • 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ...
  • 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
Anger Rectified
Anger Rectified
Anger Rectified
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A