logo
  • Customer Help
  • Checkout
logo
Subscription
  • Home
  • Store
    • Children Story Books
      • English Books
      • Hindi Books
      • Gujarati Books
    • Tirthankar Charitra books
    • Pathshala Books
      • English Books
      • Gujarati Books
    • Jainism Books
      • English Books
      • Gujarati Books
    • Games
      • Housie Game
      • Puzzle
  • Magazine
  • Gurudev
    • Pujya Premsuri MS
    • Pujya Bhuvanbhanu Suri MS
    • Pujya Gachchhadhipati Gurudev Shri Jayghosh Suri Ms
  • Pearls of Jainism
    • Samadhan Yatra
    • One Liner
  • Know Jainism
  • Library
    • Books
    • Bhuvanbhanu Encyclopedia
  • Media
    • Audio
    • Video
  • Contact Us

Home > Know Jainism > 33. શ્રી ભિલડિયા પાર્શ્વનાથ

Jainonline.org

• 16-Jun-2025


33. શ્રી ભિલડિયા પાર્શ્વનાથ

41



પ્રથમ નજરે પ્રતિમા દર્શન—

 

શ્રી ભિલડિયા તીર્થમાં નયનરમ્ય વિવિધ રંગી કલાત્મક પરિકરમાં નાનકડા અને મનોહર પ્રતિમાજી પ્રેક્ષકના દિલને ડોલાવી દે છે. શ્યામ પાષાણના આ પ્રતિમાજીના દર્શન અતિ આનંદદાયી છે. પદ્માસને બિરાજતાં આ પ્રતિમાજીના મસ્તકે સાત મનોહર ફણા છે. ૧૧ ઈંચ ઊંચા આ પ્રતિમાજીની ફણા સહિત ઊંચાઈ ૧૩ ઈંચ છે. આ આહલાદક પ્રતિમાજી ૯ ઈંચ પહોળાં છે.

 

અતીતના ઊંડાણમાં એક ડૂબકી—

 

વર્તમાનમાં ઉન્નતિના શિખર તરફ ઝડપભેર કદમ માંડતુ ભિલડિયા તીર્થ કાળના કઠોર ઘાને સહન કરી ચૂકેલું છે. આ નગરની પ્રાચીનતા પર પ્રકાશ પાડતી અનેક દંતકથાઓ લોકજીભે બોલાય છે.

 

આ તીર્થના તેરમા ચૌદમા સૈકાના કેટલાક શિલાલેખો મળી આવે છે. તે ઉપરાંત બીજા કેટલાક ચિહનોથી થી અનુમાન કરાય છે કે તેરમા-ચૌદમા સૈકામાં અહીં વૈભવપૂર્ણ મોટી નગરી હોવી જોઈએ. એક દંતકથા અનુસાર અહીં બાર કોશના ઘેરાવાવાળી ત્રંબાવતી નામની ઘણી જ જાહોજલાલી વાળી સુંદર નગરી હતી. આ નગરીમાં સવાસો શિખરબદ્ધ જિનાલયો અને સવાસો પાકા-પથ્થરના મજબૂત કૂવાઓ અને અનેક વાવો હતી. અન્ય દર્શનીઓનાં અનેક મંદિરો, માતાની દેવડીઓ, રાજગઢું તથા સુંદર ચૌટાં બજારો અને તળાવો પણ વિધમાન હતાં. આ દંતકથાને સત્ય ઠેરવતા કેટલાક અવશેષો હાલ પણ જોવા મળે છે. સીસાના રસથી મજબૂત કરેલ આરસપહાણોના મજબૂત બંધારણ વાળા બે કૂવા વર્તમાનમાં પણ વિદ્યમાન છે.

 

દેરાસરની પાછળ પશ્ચિમમાં રાજગઢી હતી. આ જગ્યાએ ખોદકામ કરતાં પુષ્કળ પથ્થરો અને ઈંટો નીકળે છે. થોડાં વર્ષો પૂર્વે ત્યાંથી બંદૂકોના થોક પણ નીકળતા અને તેને અડતાં જ ભુકકો થઈ જતો. આ જગ્યા આજે “ગઢેડું” તરીકે પ્રસિદ્ધ છે. જિનાલયની આજુબાજુના માઈલ બે માઈલ સુધીની જમીનમાં ખોદકામ કરતાં ઈંટો. આરસપહાણ અને ચૂનાનો ચોક વગેરે નીકળતું દેખાય છે. આ ઈટો એક ફૂટ પહોળી, દોઢ ફૂટ લાંબી અને વજનમાં આશરે પંદર શેરની હોય છે.

 

વિક્રમના તેરમા સૈકામાં ભિલડિયા લવણપ્રસાદ વાધેલાના તાબામાં હતું. સંવત ૧૨૧૮ના ફાગણ વદિ ૧૦ના દિવસે ભીમપલ્લીના શ્રી વીર જિનાલયમાં શ્રી જિનપતિસૂરિને આચાર્ય શ્રી જિનચંદ્ર-સૂરિએ દીક્ષા આપી હતી. અને નંદી મહોત્સવ ઊજવાયો હતો. સં ૧૨૭૩માં વડગચ્છના આચાર્ય શ્રી સોમપ્રભસૂરિ અને શ્રી જગચ્ચન્દ્રસૂરિ વગેરે એ અહીં યાત્રા કરી હતી.

 

આ શ્રી વીર પ્રભુના જિન પ્રાસાદનો સં. ૧૩૧૭માં જીર્ણોદ્વાર થયાના અનેક ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.

 

એક શિલાલેખ અનુસાર અહીં શ્રી ગૌતમ ગણધરની મૂર્તિ સંવત ૧૩૩૪ (૨૪?)ના વૈશાખ વદિ પને બુધવારના દિવસે શ્રી જિનપ્રબોધસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.

 

સં. ૧૩૪૪ના લેખવાળી શ્રી અંબિકા દેવીની એક મૂર્તિ પણ વિદ્યમાન છે.

 

પ્રભાવક આચાર્ય શ્રી જિનોદયસૂરિની દીક્ષા સં. ૧૩૮૨માં અહીંના શ્રી મહાવીર પ્રાસાદમાં ભવ્ય નંદી મહોત્સવ પૂર્વક શ્રી જિનકુશલસૂરિના હસ્તે થઈ હતી.

 

કેટલાક પ્રતિમા લેખો પરથી જણાય છે કે, આ તીર્થના નામ ઉપરથી “ભીમપલ્લીગચ્છ”નો ઉદભવ થયો હતો. સોળમી શતાબ્દીમાં આ ગચ્છના આચાર્યોના મુખ્ય સ્થાન તરીકે આ તીર્થ અત્યંત પ્રસિદ્ધિને પામ્યું હતું.

 

કહેવાય છે કે. સં. ૧૩૫૨માં અહીં ૧૨ જૈનાચાર્યો ચાતુર્માસ બિરાજમાન હતાં. સં. ૧૩૫૩ની સાલમાં બે કાર્તિક માસ હતાં. તેથી ચોમાસુ બીજા કાર્તિક માસની પૂર્ણિમા એ પૂર્ણ થાય. પરંતુ તપાગચ્છના આચાર્ય શ્રી સોમપ્રભસૂરિએ આકાશ દર્શનથી નિકટના કાળમાં જ આ નગરનો ધ્વંસ દેખ્યો દીર્ઘદ્રષ્ટા શ્રી આચાર્ય ભગવંતે અપવાદોને આશ્રીને પ્રથમ કાર્તિક માસની પૂર્ણિમાએ ચાતુર્માસ પૂર્ણ કર્યું અને તુરત જ વિહાર કરી ગયા. અહીંના જૈનો પણ તે આગાહીથી ઉચાળા ભરી ગયા. અને તેઓએ રાધનપુર નગર વસાવ્યું. આગાહી અનુસાર ભિલડિયા આગમાં તારાજ થયું. સંવત ૧૩૫૫-૫૬માં બાદશાહ અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલફખાને પણ ભિલડિયા ભાગ્યું હતું.

 

સૈકાઓ સુધી આ નગર સ્મૃતિ પટ પરથી ભૂંસાઈ ગયું. પણ શ્રી પાર્શ્વનાથજીની આ ચમત્કારી અને પ્રભાવસંપન્ન મૂર્તિ શૂન્યતામાં પણ પોતાનો પ્રભાવ પોકારતી રહી. અને ડીસાના વતની મહેતા ધરમચંદના હૃદયમાં અહીં ફરી નગર વસાવવાના અરમાન થયા. અણદા નામના ભિલડિયા બ્રાહમણને પ્રેરણા કરીને તેમણે સે. ૧૮૭૨માં ગામ વસાવ્યું .અણદાની અટક પરથી ગામ 'ભિલડી'ના નામથી પ્રસિદ્ધ થયું

 

સંવત ૧૮૯૦માં જિનાલયનું નિર્માણ થયું અને સંવત ૧૮૯૨માં તેની પ્રતિષ્ઠા થઈ, ત્યારે મુળનાયક શ્રી નેમનાથ પ્રભુ હતા.

 

ત્યારબાદ પૂ. મી ઉમેદવિજયજીના પ્રયત્નોથી આ તીર્થ વધુ પ્રકાશમાં આવ્યું સે ૧૯૩૬માં પાટણના રહીશ પરીખ વીરચંદભાઈએ આ તીર્થના વહીવટ સંભાળ્યો. અને પોષ દશમીનો મેળો ભરાવા લાગ્યો.

 

ક્રમશ: આ તીર્થનો વિકાસ થતો રહ્ યો. સં. ૧૯૮૩ના વૈશાખ સુદ-૫ના રોજ શ્રી મહાવીર સ્વામી આદિ અનેક પ્રાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ.

 

ત્યારબાદ ભવ્ય નૂતન જિનપ્રાસાદનું નિર્માણ થયું .અને સ ૨૦૨૭ના ફાગણ સુદ-૧૧ના દિવસે ભવ્ય મહોત્સય પૂર્વક પરમાત્માનો જિનાલય પ્રવેશ થયો. અને સંવત ૨૦૨૭ના જેઠ સુદ-૧૦ ના દિવસે પૂ.ભદ્રસુરીશ્વરજી, પૂ. શ્રી ૐકાર સૂરીશ્વરજી તથા પૂ.શ્રી સુબોધસાગરસુરીશ્વરજી આદિ પૂ. આચાર્ય ભગવંતો ની પાવન નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો.

 

ત્વરિત ગતિએ ઉન્નતિ સાધતા આ તીર્થને બાવન દેવકુલિકાઓથી મંડિત કરવાનો નિર્ણય થયો અને સંવત ૨૦૩૭ના વૈશાખ સુદ-૭ના દિને પૂ પરમ શાસન પ્રભાવક આચાર્ય દેવ‌‌ શ્રીમદ વિજ્યરામચંદ્રસુરીશ્વરજામ .આદિ અનેક પૂ. આચાર્ય ભગવંતો અને વિશાળ મુનિગણની નિશ્રામાં અહીં અંજન શલાકા મહોત્સવ સહિત બાવન જિનાલયની પ્રતિષ્ઠા વિધિ ભારે ધામધૂમથી થયો.

 

આ તીર્થનો મહિમા વર્તમાનમાં અત્યંત વ્યાપક બન્યો છે. સ્થાન અત્યંત રળિયામણું છે.

પ્રાચીનતાના પુરાવા-

 

આ તીર્થની પ્રાચીનતા પર પ્રકાશ પાડતા તેરમાં-ચોદમાં સંકાના કેટલાક શિલાલેખો પ્રાપ્ત થાય છે.

 

સંવત ૧૩૧૭માં રચાયેલા મી લક્ષ્મીતિલક ઉપાધ્યાય કૃત "પાવક ધર્મ પ્રકરણ'ની પ્રશસ્તિમાં અહીંના મી વીર પ્રભુના ચૈત્યનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.

 

સે ૧૩૧૭માં જ રચાયેલા શ્રી અભયંતિલકગણિકૃત "મહાવીર રાસ””માં “મંડલિક વિહાર"ના ઉલ્લેખ મળે છે.

 

આ નગરીના દધ્વંસને નિકટવર્તી જાણીને શ્રી સોમપ્રભસુરિએ ચાતુર્માસ પ્રથમ કાર્તિક માસમાં પૂર્ણ કરીને વિહાર કર્યાનો ઉલ્લેખ સંવત ૧૪૬૬માં રચાયેલી શ્રી મુનિસુન્દરસૂરિફત "ગુર્વાવલી'માં જોવા મળે છે.

 

પ્રભુનાં ધામ અનેક-

 

શ્રી ભિલડિયા પાર્શ્વનાથનું તીર્થ બનાસકાઠા જિલ્લાના ભિલડી ગામમાં વિદ્યમાન છે. અન્યત કયાંય શ્રી ભિલડિયા પાર્શ્વનાથનાં પ્રતિમાજી બિરાજમાન હોય તેવું જાણ્યું નથી.

 

પ્રભુનાં ધામની પિછાણ-

 

શ્રી ભિલડિયાજી તીર્થ ભિલડી રેલવે સ્ટેશનથી ૨ ફલૉગ દૂર છે. આ તીર્થ નવાડીસાથી ૨૪ કી.મી. દુર છે. વિશાળ ધર્મશાળા અને ભોજનાલયની સુંદર સગવડ છે.

 

પોષ દશમીના દિવસે અહીં મેળો ભરાય છે. નજીકમાં જતીર્થ સદેશ પચ્ચીદા જેટલા જિનલાયર્થીથી શોભતું રાધનપુર આવેલું છે.

Tags: Shree 108 Parshvanath, 108 Parshwanath, 23rd tirthankar, parasnath, Jainism history, 108 Parshwanath history, Jain story

Recent Posts

  • Unlocking the power of jain sanskar with siddhant ...
  • Dive into the world of jainism with siddhant divak...
  • Timeless Teachings of Jainism - SIDDHANT DIVAKAR -...
  • Explore the world of jain sanskar with exciting st...
  • કરુણા અને સદ્ગુણો(મૂલ્યો)ની કેળવણી(જતન): બાળકો માટ...
  • Unveiling the mysteries of jainism: a journey for ...
  • Nurturing young minds with siddhant divakar – jain...
  • Unveiling the mysteries of jainism: sutra secret!...
  • Embark on an Enthralling Journey with Siddhant Div...
  • Nurturing compassion and values:...
  • Religious Pictorial children story books on Great ...
  • જિનાલયે જવામાં કેટલું ફળ ?...
  • પચ્ચક્ખાણ કરવાથી પ્રાપ્ત થતું મહાન ફળ...
  • નવકારશી પચ્ચક્ખાણની સરળ સમજ ...
  • પચ્ચક્ખાણ એટલે શું?...
  • પચ્ચક્ખાણમાં અન્નત્થણાભોગેણં નો શું અર્થ થાય? ...
  • પચ્ચક્ખાણમાં સહસાગારેણં નો અર્થ શું થાય ? ...
  • 1. શ્રી નવસારી પાર્શ્વનાથ ...
  • 2. શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ...
  • 3. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ...
  • 4. શ્રી દુ:ખભંજન પાર્શ્વનાથ...
  • 5. શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ...
  • 6. શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ...
  • 7. શ્રી કલ્હારા પાર્શ્વનાથ...
  • 8. શ્રી અમીઝરા પાર્શ્વનાથ...
  • 9. શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ...
  • 10 . શ્રી લોઢણ પાર્શ્વનાથ...
  • 11 . શ્રી વિમલ પાર્શ્વનાથ...
  • શ્રી વજ્રસ્વામી...
  • 12 . શ્રી સ્તંભન પાર્શ્વનાથ ...
  • 13. શ્રી કંસારી પાર્શ્વનાથ...
  • 14. શ્રી રત્ન ચિંતામણિ પાર્શ્વનાથ...
  • Shri mantungsuriji...
  • 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ...
  • 16 .શ્રી ભુવન પાર્શ્વનાથ...
  • 17 . શ્રી ભીડભંજન પાર્શ્વનાથ...
  • Shri Hirvijaysuri...
  • 18 . શ્રી શામળા પાર્શ્વનાથ...
  • 19. શ્રી મુલેવા પાર્શ્વનાથ...
  • 20 .શ્રી હ્રી◌ઁકાર પાર્શ્વનાથ...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • Shri Bhadrabahuswami...
  • 21. શ્રી સુખસાગર પાર્શ્વનાથ...
  • 22. શ્રી પદ્માવતી પાર્શ્વનાથ...
  • 23. શ્રી મુહરિ પાર્શ્વનાથ...
  • 24. શ્રી પોસીના પાર્શ્વનાથ...
  • Shri Shayyambhav suri ...
  • 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ...
  • 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ...
  • 27 . શ્રી નાગફણા પાર્શ્વનાથ...
  • Shri Aaryarakshit Suri...
  • 28 . શ્રી કલ્યાણ પાર્શ્વનાથ...
  • 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ...
  • 30 . શ્રી સુલતાન પાર્શ્વનાથ...
  • Shree Mastush Muni...
  • 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ...
  • Shri Sinh Anagar...
  • 32. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ...
  • 34 . શ્રી આનંદા પાર્શ્વનાથ...


Related Books

Divakar
  • Kids Magazine

Buy Now
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHVANATHA PART 1 & 2 (ENGLISH)
PARMATMA PARSHV...
  • Jainism Books
₹ 100 ₹ 200
Buy Now
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वामी
स्थूलभद्र स्वाम...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
GAJSUKUMAL
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
ILACHIKUMAR
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAGNA
KALIKAAL SARVAG...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
Vajraswami
  • children story books
₹ 50 ₹ 100
Buy Now
Anger Rectified
Anger Rectified
Anger Rectified
  • jainism books
₹ 50 ₹ 100
Buy Now
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGADU
MAHAMUNI KURGAD...
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
MAMMAN SETH
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
NANDISHEN
  • Children Story Books
₹ 50 ₹ 99
Buy Now







Home

Magazine

Jainism

Q/A