Home > Know Jainism > 36 . શ્રી પંચાસરા પાર્શ્વનાથ
Jainonline.org
• 19-Jun-2025
36 . શ્રી પંચાસરા પાર્શ્વનાથ
25

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય અને ઐતિહાસિક જિનાલયમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના શ્વેત વર્ણના પદ્માસનસ્થ પ્રતિમાજી નયનમનોહર છે. દર્શકનાં નયનો પર કામણ કરતાં આ અલૌકિક પ્રતિમાજી એક કલાત્મક પરિકરમાં સાત મનોહર ફણાથી અલંકૃત છે. આ પ્રાચીન અને ઐતિહાસિક પ્રતિમાજીની ઊંચાઈ ૪૫ ઈંચ અને પહોળાઈ ૩૭ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
સૈકાઓથી ઊભેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું આ જિનાલય વીર વનરાજના તેના ઉપકારી ગુરુદેવ પ્રત્યેના કૃતજ્ઞભાવનું યશોગાન રેલાવી રહયું છે. આ મંદિરના ઉદભવમાં વનરાજની કૃતજ્ઞતા વણાયેલી છે.
નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયૂષપાન કરાવીને વીર બનાવ્યો હતો. બાલ્ય કાળમાં વનરાજને આશ્રય આપનારા આચાર્ય ભગવંતે તેનું પાલન અને ઘડતર કર્યું હતું. ચાવડા વંશનો આ બાહોશ અને શૂરવીર રાજપુત્ર ક્રમે કરીને રાજવી બન્યો. વલ્લભીપુર અને ભિન્નમાલના પતન પછી તેનો સંસ્કાર વારસો સાચવી શકે એવી તીર્થ ભૂમિની શોધ કરનારા ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજની દૃષ્ટિ અણહિલ ભરવાડે સૂચવેલા “લાખારામ" ગામની ધરતી ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળ નીરથી પાવન બનેલી એ ઘરા ઉપર વિ.સં. ૮૦રમાં વૈશાખ સુદ ૩ને સોમવારે જૈન મંત્રોચ્ચાર પૂર્વક પાટણ નગરની સ્થાપના થઈ. ઉત્કર્ષના દ્વારે આવીને ઊભેલા કૃતહાચૂડામણિ વનરાજને પોતાના ઉત્કર્ષના મૂળમાં બેઠેલા જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ. પૂજ્યપાદશ્રીના ચરણોમાં તેણે રાજ્યની સમૃદ્ધિ ધરી દીધી. દુનિયાની તુચ્છ સમૃદ્ધિ છોડીને આત્માના વૈભવને પામવા સાધુ બનેલા આ સૂરિ પુંગવ નિ:સ્પૃહ શિરોમણિ હતા. કૃતાતા અને નિ:સ્પૃહતાનો એક મીઠો કલહ ઉપસ્થિત થયો. આ કલહનાં સમાધાન સ્વરૂપ એક ભવ્ય જિનાલયનું નિર્માણ પાટણની સ્થાપના બાદ થોડાજ સમયમાં થયું. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથના મનોહર જિનબિંબને પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજયભૂમિ હતી. તેથી, ત્યાંથી લાવેલા આ પાર્શ્વનાથ "શ્રી પંચાસરા પાર્શ્વનાથ”ના નામથી પ્રસિદ્ધિ પામ્યા આ ચૈત્યમાં વનરાજે