Science Says - ઊંઘવાનો ને ઊઠવાનો સમય નિશ્ચિત હોય તો જ શરીરની ઘડિયાળ = ‘સર્કેડિયન રિધમ’ બરાબર કામ કરી શકે છે.
Home > Magazine > Gujarati Magazine > Issue : 2 | Feb 2026 > Science Says
Science Says
સમયસર ઊઠવાના 4 ફાયદા
હાર્વર્ડ મેડિકલનું રિસર્ચ કહે છે :
જેમ, સેલ અને પાવર સપ્લાય પ્રમાણસરનો હોય તો જ ‘રિસ્ટવોચ’ બરાબર ચાલે છે.
તેમ, ઊંઘવાનો ને ઊઠવાનો સમય નિશ્ચિત હોય તો જ શરીરની ઘડિયાળ = ‘સર્કેડિયન રિધમ’ બરાબર કામ કરી શકે છે.
1. સર્કેડિયન રિધમ સ્થિર રહી શકે છે.
નિશ્ચિત સમયે જાગવાથી શરીરની ઘડિયાળ બરાબર કામ કરે છે, જેનાથી ઊંઘ, હોર્મોન્સ, મૂડ અને બોડી ટેમ્પરેચર વગેરે કંટ્રોલમાં રહે છે.
2. ઊર્જા જળવાઈ રહે છે.
ખૂબ વહેલા કે ખૂબ મોડા ઉઠવાથી વધુ થાક લાગે છે. નિશ્ચિત સમયે જાગવાથી આખો દિવસ સક્રિય અને સતર્ક રહેવાનું સરળ બને છે.
3. રોગ ઓછા થાય છે.
બહુ વધારે કે બહુ ઓછું ઊંઘવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, એટેક ને કૅન્સર જેવા રોગ થવાની શક્યતા વધી જાય છે.
4. મૂડ અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.
નિયમિત ઊંઘ મૂડ સુધારે છે. જેથી તમે વધુ એકાગ્ર, ધ્યાન કેન્દ્રિત અને સકારાત્મક બનો છો.
મારા પ્રભુ વીર કહે છે :
સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચેનો જે સમય છે, તે ‘રાત’ કહેવાય છે.
તે રાતના 4 ભાગ કરવાના અને તેના 2જા તથા 3જા ભાગમાં જ સૂવાનું.
દા.ત. સાંજે 6થી સવારે 6 સુધી રાત છે, તો
રાત્રે 9થી 3ના સમયમાં સૂઈ જવાનું.
Why એન્ડ What ની આજની જનરેશન આલ્ફા ને સાયન્સના જ સિદ્ધાંતોના માધ્યમે પરમાત્મા મહાવીર ના ધર્મને સમજાવવામાં આવી રહ્યો છે...
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

