સ્ટોરી - શું મુનિરાજે બરાબર કર્યું?
Home > Magazine > Gujarati Magazine > > સ્ટોરી

સ્ટોરી કોર્નર
જંગલમાં એક મુનિરાજ સાધના કરે છે. કાયોત્સર્ગમાં ઊભા છે.
તે સમયે ત્યાંથી એક હરણ ભાગતું-ભાગતું પસાર થાય છે અને આગળ જઈ ડાબી બાજુ વળી જાય છે. હરણને મારવા માટે પાછળ દોડતો શિકારી મુનિરાજને પૂછે છે : 'હરણ કઈ બાજુ વળ્યું?"
મુનિરાજ કહે છે : 'જમણી બાજુ'
ને, શિકારી હરણને શોધવા જમણી બાજુ ભાગે છે.
તો શું સાધુમહારાજને ખોટું બોલવાનું પાપ ન લાગે?
હરણ હકીકતે ડાબી બાજુ ગયું, ને મુનિરાજ જમણી બાજુ કેમ બોલ્યા?
જો મુનિરાજ ડાબી બાજુ બોલે, તો શિકારી હરણને શોધી-પકડીને મારી નાખત.
દેખાવથી ખોટું લાગે, પણ વાસ્તવમાં હરણનો જાન બચાવ્યો, માટે 'મૃષાવાદ' ના કહેવાય.
ગુજરાતી ભાષાના દુહામાં લખ્યું છે :
'કાણાને નવિ કાણો કહીયે. કડવા લાગે વેણ।
ધીમે રહીને પૂછીએ, શાને ખોયા નેણા।'
જે બોલવાથી સામા વ્યક્તિને હર્ટ થાય, તે બધું જ મૃષાવાદ!
માટે જ. આંધળાને 'આંધળો' ના કહેવાય ને કાણાને 'કાણો' કહીને ના બોલાવાય.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms