દિવાળી જૈનોનું પર્વ કેમ છે? - આ પર્વ ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ થઈ? અને કેટલાં વર્ષ પહેલાં થઈ?
Home > Magazine > Gujarati Magazine > > દિવાળી જૈનોનું પર્વ કેમ છે?
દિવાળી એટલે
દિવાની હારમાળા પ્રગટાવવાનું પર્વ
બાળકો!
દર વર્ષે દિવાળી પર્વ આવે છે. પણ તમને ખબર છે - આ દિવાળી પર્વ ઉજવવાની શરૂઆત ક્યાંથી થઈ? કેમ થઈ? અને કેટલાં વર્ષ પહેલાં થઈ?
તો જાણો : દિવાળી જૈનોનું પર્વ કેમ છે?
2551 વર્ષ પહેલાંની વાત છે.
પરમાત્મા મહાવીર સ્વામી આ પૃથ્વી પર વિહરતાં હતાં. દેશના આપીને ભવ્ય જીવોને સંસારમાંથી તારતાં હતાં.
પરમાત્માનું 72 વર્ષનું આયુષ્ય પૂર્ણ થવાના આરે છે. પરમાત્મા અપાપાપૂરી નગરીમાં પધાર્યા છે. અને અંતિમ દેશના ફરમાવે છે.
આ અંતિમ દેશના કેટલી ચાલી, ખબર છે? સળંગ 2 દિવસ અને 2 રાત! સળંગ 48 કલ્લાક!
પરમાત્મા મહાવીર સ્વામીની આ અંતિમ દેશના આજે ય મળે છે. તે ગ્રંથના નામ છે :
ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાક સૂત્ર.
આ જ અંતિમ દેશનામાં રાજા હસ્તિપાલ આવે છે ને તેમને રાત્રે જે 8 સ્વપ્ન આવ્યા હતાં, તેનું ફળ પૂછે છે. અને પરમાત્મા મહાવીર સ્વામી તે સ્વપ્નના ફળ તરીકે 5મો આરો કેવો આવશે? તે જણાવે છે.
આયુઃ પૂર્ણ થવાને થોડી જ વાર છે. પરમાત્મા ‘શૈલેશીકરણ’ નામની ક્રિયા કરે છે અને કર્મથી મુક્ત થઈ નિર્વાણ = મોક્ષ પ્રાપ્ત કરે છે.
પરમાત્મા મહાવીર સ્વામી ‘કેવલજ્ઞાની’ હતાં, જેના પ્રકાશથી આખું વિશ્વ પ્રભુ જોતા હતાં અને આપણને જણાવતા હતાં. કેવલજ્ઞાન એટલે ભાવદીપક. એ બુઝાઈ ગયો.
તેની સ્મૃતિમાં લોકોએ દ્રવ્યદીપક = દિવા પ્રગટાવ્યા.
પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકથી જે પર્વનો પ્રારંભ થયો તે દિવાળી.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

