વંદન Verified - વંદન કરવાથી પ્રાપ્ત થતાં 6 ગુણ
Home > Magazine > Gujarati Magazine > > વંદન Verified
વંદન Verified
વંદન કરવાથી પ્રાપ્ત થતાં
6 ગુણ
1. વિનયોપચાર : આપણા હૃદયમાં રહેલો વિનય-આદરભાવ વંદન કરવાથી પ્રગટ થાય છે.
2. માનાદિ ભંગ : વંદન કરવાથી માન = અહંકાર વગેરે દોષોનો નાશ થાય છે.
3. ગુરુ પૂજા : વાસક્ષેપથી ગુરુના ચરણે પૂજન કરવું તે જ ગુરુપૂજા નથી, વંદન કરવાથી ગુરુની પૂજા = મહિમા થાય છે.
4. જિનાજ્ઞાની આરાધના : ‘ગુરુ વંદન કરવું’ એ પરમાત્માની આજ્ઞા છે. વંદન કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે.
5. શ્રુતધર્મની આરાધના : જેમ જ્ઞાન = આગમગ્રંથને વંદન કરવાથી જ્ઞાનની આરાધના થાય છે, તેમ જ્ઞાની = ગુરુભગવંતને વંદન કરવાથી પણ જ્ઞાનની આરાધના થાય છે.
અથવા, વંદન કર્યા બાદ જ જ્ઞાન મેળવવાનું હોવાથી વંદન દ્વારા પરંપરાએ જ્ઞાનની જ આરાધના થાય છે.
6. અક્રિયા (= મોક્ષ) : ગુરુને વંદન કરવાથી કર્મનો ક્ષય થાય છે, જેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. ગુરુને વંદન કરતાં-કરતાં અનંત આત્માઓ કેવલજ્ઞાન પામી મોક્ષગતિ પામ્યા છે.
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

