વિશ્વમાં આ શ્રેષ્ઠ કોટિનું દાન છે - કારણ કે, તીર્થંકર પરમાત્માએ દીક્ષા બાદ ગૃહસ્થને દાન આપ્યું અને એ દાનમાં પણ પોતાનું પહેરેલું વસ્ત્ર આપ્યું !
Home > Magazine > Gujarati Magazine > > વિશ્વમાં આ શ્રેષ્ઠ કોટિનું દાન છે
સોમબ્રાહ્મણ પરમાત્માને શોધતો-શોધતો જંગલમાં પહોંચે છે. જ્યાં પરમાત્મા સાધના કરતાં હોય છે.
સોમબ્રાહ્મણ પરમાત્મા પાસે યાચના કરે છે, પણ પરમાત્મા શું આપે? પોતાની પાસે એક દેવદૂષ્યથી વધારે કંઈ જ નથી !
પરંતુ કરુણાના સાગર પરમાત્મા વર્ધમાનસ્વામી પોતાનું દેવદૂષ્ય ફાડે છે અને અડધું સોમબ્રાહ્મણને દાનમાં આપે છે.
વિશ્વમાં આ શ્રેષ્ઠ કોટિનું દાન છે કારણ કે, તીર્થંકર પરમાત્માએ દીક્ષા બાદ ગૃહસ્થને દાન આપ્યું અને એ દાનમાં પણ પોતાનું પહેરેલું વસ્ત્ર આપ્યું !
બાળકો !
જે પરમાત્મા મહાવીરસ્વામીના આપણે અનુયાયી છે, તે પરમાત્માએ વસ્ત્રદાન કર્યું,
તેમની યાદમાં તમે પણ એક નાનું દાન કરો ને ધર્મનું પાલન કરો :
કોઈ ભિક્ષુકને 1 જોડી કપડાં આપવા... છેવટે એક નાનકડો નેપકિન-રૂમાલ પણ આપવો.
કથાના માધ્યમે બાળકોને દાનધર્મ સમજાવ્યા બાદ એક નાનકડી એક્ટિવિટી સ્વરૂપે બાળકોમાં દાન ધર્મના સંસ્કારનો સિંચન કરવાનો પણ એક અદભુત પ્રયાસ દિવાકર મંથલી સંસ્કાર બુકના માધ્યમે થઈ રહ્યો છે..
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms

